If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિભાજનના ગુણધર્મની સમીક્ષા

વિભાજનના ગુણધર્મની પાયાની સમજની સમીક્ષા કરો અને અમુક પ્રશ્નનો મહાવરો કરવાનો પ્રયત્ન કરો.

વિભાજનનો ગુણધર્મ શું છે?

ગુણાકારના પ્રશ્નોમાં વિભાજનનો ગુણધર્મ એમ રજુ કરે છે, કે જયારે બે સંખ્યાઓના સરવાળાની રીતે જયારે અવયવ ફરીથી લખાઈ, ત્યારે જવાબ બદલાશે નહિ.
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાથી આપણે બીજા બે સરળ ગુણાકારના પ્રશ્નો ઉકેલી શકીએ છે.
ઉદાહરણ:
આપણે 4×12 ને 4×(10+2) માં ફેરવી શકીએ છે.
410 અને 2 માં વિભાજીત થઇ જશે અને કોયડો એ:
(4×10)+(4×2) માં બદલાઈ જશે
ડાબી બાજુએ બિંદુઓની ગોઠવણી (4×10) સૂચવે છે. જમણી બાજુએ બિંદુઓની ગોઠવણી (4×2) સૂચવે છે.
હવે આપણે કુલ સંખ્યા શોધવા પદાવલીનો સરવાળો કરી શકીએ.
(4×10)+(4×2)
=40+8
=48
વિભાજનના ગુણધર્મ વિષે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વિભાજનનો ગુણધર્મ કઈ રીતે મદદ રૂપ છે તે જાણવું છે? તપાસો આ આર્ટીકલ.

મહાવરો

પ્રશ્ન 1
નીચે આપેલ બિંદુઓ 12×2 દર્શાવે છે. તેઓને બે સમુહમાં વિભાજીત કરેલ છે.
બિંદુઓની કુલ સંખ્યાની ગણતરી કરવા આપણે કયું અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકીએ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ રીતના વધુ કોયડા ઉકેલવા છે? તપાસો આ અભ્યાસ.