If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્ષારના ઍસિડ-બેઇઝ ગુણધર્મો

તટસ્થીકરણ પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારના ઉદાહરણો, અને પરિણામી ક્ષાર દ્રાવણની pH નું અવલોકન કરવું. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે અહી અમુક જથ્થામાં હાઇડ્રોક્લોરિક એસીડ છે અને સોડીયમ હાઇડ્રોકસાઈડનું દ્રાવણ છે આપણે જાણીએ છે કે હાઇડ્રોક્લોરિક એસીડ એ પ્રબળ છે તે પ્રબળ એસીડ છે તેમાં H+ અને Cl- આયન રહેલા છે સોડીયમ સોડીયમ હાઇડ્રોકસાઈડ એ પ્રબળ બેઇઝ છે તેથી આ દ્રાવણમાં સોડીયમ આયન અને હાઇડ્રોકસાઈ'ડ nin રહેલા છે હવે આપણે તેની નીપજ વિશે વિચારીએ H+ અને OH- ને સાથે લઈએ તો H2O મળે માટે તેની એક નીપજ H2O એટલે પાણી મળશે Na+ અને Cl- ને સાથે લઈએ તો તે NaCl આપે વત્તા સોડીયમ ક્લોરાઈડ NaCl આ એસીડ બેઇઝ તટસ્થીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે જ્યાં એસીડ બેઇઝ સાથે પ્રક્રિયા કરીને પાણી અને મીઠું આપે છે આ બાબતમાં સોડીયમ ક્લોરાઈડ NaCl એ મીઠું છે હવે આપણે સોડીયમ ક્લોરાઈડના જલીય દ્રાવણ વિશે વિચારીએ થોડું પાણી અને થોડું મીઠું લઈને બંનેને મિશ્ર કરીએ તો આપણને આ દ્રાવણ મળે આ દ્રાવણમાં સોડીયમ કેટાયન અને ક્લોરીન nin હોય છે હવે તે પાણી સાથે શું પ્રક્રિયા કરશે તે જોઈએ આપણે જાણીએ છીએ કે પાણીની ph 7 છે પાણીની ph = 7 સોડીયમ આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી તેથી તે દ્રાવણની phને અસર કરશે નહિ ક્લોરીન નિર્બળ બેઝ છે તેથી તે પાણી માંથી 1 પ્રોટોન મેળવશે પરંતુ તે સરળ રીતે થશે નહિ કારણ કે ક્લોરાઈડ આયન Cl- એ HCl નો અનુ બદ્ધ બેઝ છે આપણે જાણીએ છીએ કે HCl એ પ્રબળ એસીડ છે એસીડ પ્રબળ હોય તો તેનું અનુ બદ્ધ બેઇઝ નિર્બળ હોય તેથી ક્લોરાઈડ nin એ પાણી માંથી પાણી મેળવશે નહિ તેથી તે તેની ph ને અસર કરશે નહિ આમ સોડીયમ ક્લોરાઈડ આયનની ph 7 જ મળે અને મીઠું એ પ્રબળ એસીડ અને પ્રબળ બેઇઝ માંથી બનાવેલું છે સોડીયમ ક્લોરાઈડ એ પ્રબળ એસીડ અને પ્રબળ બેઇઝ માંથી બને છે આ મીઠું હવે તટસ્થ બને છે માટે તેની ph = 7 મળે હવે આપણે નિર્બળ એસીડ અને પ્રબળ બેઇઝ વડે બનેલ મીઠા સાથે તેને સરખાવીએ અહી આ એસેટિક એસીડ છે જે નિર્બળ એસીડ છે અને આ સોડીયમ હાઇડ્રોકસાઈડ એ પ્રબળ બેઇઝ છે અહી આ દ્રાવણમાં Na+ અને OH- રહેલા હોય છે એસેટિક એસીડ માંથી આ હાઇડ્રોકસાઈડ એસેટિક પ્રોટોન મેળવે છે એસેટિક એસીડમાં પ્રોટોન આ થશે H+ અને OH- આપણને H2O આપે તે આપણને પાણી આપશે હવે અહી મીઠા વિશે વિચારીએ જો આપણે એસેટિક એસીડ માંથી 1 પ્રોટોનને દુર કરીએ તો એસીટેડ બાકી રહે CH3 COO- આયન એસીટેડ આયન અને હજુ આ સોડીયમ આયન બાકી છે સોડીયમ આયન અહી એસીટેડ આયન સાથે આયાની બંધ દ્વારા જોડાશે તે આપણને સોડીયમ એસીટેડ આપશે હવે સોડીયમ એસીટેડના જલીય દ્રાવણ વિશે વિચારીએ આપણે અહી જાણીએ છીએ અહી સોડીયમ કેટાયન એ પાણી સાથે પ્રક્રિયા કરશે નહી જે તેની ph ને અસર કરશે નહી પરંતુ એસીટેડ આયન અસર કરશે માટે એસીટેડ આયન પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું નીપજ મળે તે વિચારીએ આપણે અહી પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ આપણે જાણીએ છે કે એસીટેડ એસીડ ના અનુવર્ત બેઇઝ મળે છે તેથી અહી આ બ્રોન્સ્ટેડ લોરી બેઇઝ અને પાણી એ બ્રોન્સ્ટેડ લોરી એસીડ છે પાણી એસીટેડ આયનને પ્રોટોન દાન કરે જો એસીટેડ આયન એક પ્રોટોન મેળવે તો આપણને એસીટીક એસીડ મળે CH3 COOH એસીટીક એસીડ એસીટેડ nin માં H+ આયન ઉમેરીએ જો પાણીમાંથી એસીટેડ આયન પ્રોટોન મેળવે જો H+ આયન H2O માંથી દુર થાય તો OH- બાકી રહે OH- હવે અહી દ્રાવણમાં શું ફેરફાર થાય એસીટેડ આયન દ્રાવણમાં હાઇડ્રોકસાઈડની સાંદ્રતા વધારે તે હાઇડ્રોકસાઈડ આયનની સંદ્રતા વધારે તેથી PH 7 ન રહે તેમાં વધારો થાય અહી PH માં વધારો થશે એટલે કે PH 7 કરતા વધુ મળશે આમ સોડીયમ એસીટેડના જલીય દ્રાવણની PH 7 કરતા વધુ મળે જો આપણી પાસે નિર્બળ એસીડ અને પ્રબળ બેઇઝ માંથી બનાવેલ મીઠું હોય તો તે દ્રાવણ બેઝીક દ્રાવણ બને જેની PH 7 કરતા વધુ હોય હવે આપણે વધુ એક પ્રબળ એસીડ અને નિર્બળ બેઇઝ નો ઉદાહરણ જોઈએ HCl એ પ્રબળ એસીડ છે અને NH3 એમોનીયા એ નિર્બળ બેઇઝ છે HClમાં H+ અને Cl- આયન રહેલા છે આપણે NH3 ને એક પ્રોટોન દાન કરીએ જો NH3 એક પ્રોટોનને સ્વીકારે તો NH4+ આયન બને જે એમોનિયમ છે આપણી પાસે હજુ ક્લોરાઈડ nin પણ છે તે એમોનિયમ સાથે આયનીક બંધથી જોડાશે અને એમોનિયમ ક્લોરાઈડ બનાવશે અહી તે મીઠું છે આ એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણ વિશે વિચારીએ પાણીની PH 7 છે ક્લોરાઈડ nin PH ને અસર કરશે નથી પરંતુ એમોનિયમ આયન અસર કરશે NH4+ આયાનની પાણી સાથે પ્રક્રિયા કરવાથી તે PH ને અસર કરશે આપણે અહી સમીકરણ લખીએ NH4+ + H2O તો હવે અહી શું થશે એમોનિયમ આયન એસીડ છે તે બ્રોન્સ્ટેડ લોરી એસીડ છે તે પાણીને પ્રોટોન દાન કરે છે માટે પાણી એ બ્રોન્સ્ટેડ લોરી બેઇઝ થશે પાણી એ બ્રોન્સ્ટેડ લોરી બેઇઝ છે તે પ્રોટોન મેળવે છે જો આપણે NH4+ માંથી H+ ને દુર કરીએ તો આપણને NH3 અથવા એમોનીયા મળે જો આપણે H+ ને H2O માં ઉમેરીએ તો આપણને અહી H3O+ એટલે કે હાઇડ્રોનિયમ મળે હવે આપણા દ્રાવણમાં શું ફેરફાર થાય આપણે અહી હાઇડ્રોનિયમ આયનની સંદ્રતા વધારીએ છીએ અહી હાઇડ્રોનિયમ આયનની સંદ્રતા વધશે માટે આપણને PH હવે 7 મળશે નહી પરંતુ PH માં ઘટાડો થશે તે આપણને એસીડીક દ્રાવણ આપશે હવે PH એ 7 કરતા ઓછી થશે એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણની PH 7 કરતા ઓછી મળે માટે પ્રબળ એસીડ અને નિર્બળ બેઇઝ માંથી બનતું મીઠું એ એસીડીક આયન બનાવે જેની PH 7 કરતા ઓછી હોય.