મુખ્ય વિષયવસ્તુ
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 1
Lesson 3: આયનીય સંયોજનોનું નામ અને સૂત્ર- એકપરમાણ્વીય આયન અને આયનીય સંયોજનોને નામ આપવા
- સામાન્ય બહુપરમાણ્વીય આયન
- બહુપરમાણ્વીય આયન
- બહુસંયોજક આયન સાથે આયનીય સંયોજનનું નામ આપવું
- કોયડો: આયનીય સંયોજનનું સૂત્ર શોધવું
- એકપરમાણ્વીય આયન પરના વીજભારનું અનુમાન
- આયનીય સંયોજનોને નામ આપવા
- આયનીય સંયોજન માટે સૂત્ર શોધવું
- આયન અને આયનીય સંયોજનોને નામ આપવા
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
આયન અને આયનીય સંયોજનોને નામ આપવા
Iઆયનીય સંયોજનોને કેટાયન નામના ધન વીજભારિત આયન અને એનાયન નામના ઋણ વીજભારિત આયનમાંથી બનેલા તટસ્થ સંયોજનો છે. બાયનરી આયનીય સંયોજનો (આયનીય સંયોજનો જે બે પ્રકારના તત્વો ધરાવે છે) માટે, સંયોજનોના નામમાં સૌપ્રથમ કેટાયનનું નામ, પછી એનાયનનું નામ લખાય છે. ઉદાહરણ તરીકે, KCl, આયનીય સંયોજન જે K+ અને Cl- આયન ધરાવે છે, તેનું નામ પોટેશિયમ ક્લોરાઇડ છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વીડિઓ માં આપણે આયન કઈ રીતે બને અને સંયોજન કઈ રીતે બને અને તેનું નામ કારણ કઈ રીતે કરી શકાઈ તે વિષે શીખીએ આપણે સમૂહ 1 માં કોઈ પણ તત્વ થી શરૂઆત કરીએ આપણે આ પ્રથમ ઉભો સ્થંભ લઈએ કે જેને આલ્કલી તત્વ તરીકે ઓળખાઈ છે તેમાં આપણે પોટેશિયમ થી શરૂઆત કરીએ કે જેને k વડે દર્શાવવા માં આવે છે સમૂહ એક વિષે વિચારીએ એક રીતે વિચારો તો તેની બહાર ની કક્ષા માં ફક્ત એક જ ઈલેક્ટ્રોન હોઈ છે એટલે કે તેઓ એક ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે જયારે તે આયનીકરણ ની પ્રક્રિયા કરશે ત્યારેતે એક ઈલેક્ટ્રોન ને ગુમાવીને કેતાયન એટલે કે ધન આયન બને આપણે હવે પોટેશિયમ વિષે વિચારીએ તે આયન બની શકે છે અને આપણે તેને આ પ્રમાણે દર્શાવીએ છે જે આપણે અગાવ ના વીડિઓ માં જોયું હતું આપણે તેને પોટેશિયમ આયન તરીકે પણ વિચારી શકીએ પોટેશિયમ 1+ કે જે પોટેશિયમ કેતાયન તરીકે પણ ઓળખાઈ છે હવે આપણે આવર્ધ કોષ્ટક ના બીજા ભાગ તરફ જઈએ એવા તત્વો વિષે વિચારીએ જે ઈલેક્ટ્રોન મેળવવા ની વૃત્તિ ધરાવે છે અને આ તત્વો આપણે હેલાઈદ સમૂહ માં મળે છે અહી આજે સ્થંભ છે જે તમે જોઈ શકો છો આ હેલાઈદ સમૂહ છે આ બધા હેલાઈદ તત્વો છે તેમની બાહ્ય કક્ષા માં 7 ઈલેક્ટ્રોન હોઈ છે અને તેઓ અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઈલેક્ટ્રોન મેળવવા ની વૃત્તિ ધરાવે છે આપણે હવે તેમાં થી ક્લોરીન તત્વ લઈએ જે અહી છે ક્લોરીન પણ આયન બની શકે છે અને તે માટે ક્લોરીન ઈલેક્ટ્રોન મેળવે છે જયારે ક્લોરીન 1 ઈલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ વીજભારીત આયન બને છે માટે તેને આપણે આ રીતે લખી શકીએ cl1- આપણે ઋણ વીજભારીત આયન ને એનાયાન તરીકે ઓળખીએ છે તેને ક્લોરીન એનાયન કેહવાની જગ્યા એ આપણે તેને ક્લોરાઈડ કહી શકીએ અહી તેને અહી તેને ક્લોરાઈડ તરીકે ઓળખવામાં આવે છે હવે વિચારો કે પોટેશિયમ પાસે ધન 1 વીજભાર છે અને ક્લોરીન પાસે ઋણ 1 વીજભાર છે માટે તેઓ એક બીજા તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે અને તેના દ્વારા તેઓ આયનીક સંયોજન બનાવે છે આપણે આ આયોનિક સંયોજન ને આ પ્રમાણે દર્શાવી શકીએ સવપ્રથમ ધન આયન લખવામાં આવેછે અને ત્યારબાદ ઋણ આયન લખવામાં આવે છે kcl અને આ આયનીક સંયોજન ને પોટેશિયમ ક્લોરાઈડ કહે છે પોટેશિયમપોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઈડ અહી આ ક્લોરાઈડ ભાગ એનાયન હોવાનું દર્શાવે છે કારણકે ક્લોરીન લખવાની જગ્યા એ આ તત્વ માં શબ્દ ના અંતે આઈડ લખવામાં આવે છે તે પરથી ઓળખાઈ છે તે તેઓ એનાયન છે માટે આપણે કહી શકીએ કે આ ક્લોરીન એનાયન છે એટલે કે તે ક્લોરાઈડ કેહવાશે હવે તમને થયું હશે કે આવું આપણે પોટેશિયમ સાથે શા માટે ના કર્યું પરંપરાગત રીતે જો કોઈ પોટેશિયમ ક્લોરાઈડ કહે તો તેનો અર્થ એ થયો કે તે એક આયનીક સંયોજન છે અને જો ક્લોરીન -1 વીજભાર ધરાવતું હોઈ તો આ આયનીક સંયોજન તથષ્ટ બનશે માટે જો આ -1 હોઈ તો આપણે જાણીએ છે કે આ +1 થશે માટે તેના પરથી કહી શકાઈ કે પોટેશિયમ કેતાયન છે અને ક્લોરીન એનાયન છે અથવા તો તે ક્લોરાઈડ છે કોઈ પણ રીતે તેને લઇ શકાઈ છે ધન વીજભાર એ પોટેશિયમ અને ઋણ વીજભાર ક્લોરીન છે હવે પછી ને વીડિઓ માં આપણે આના કરતા પણ થોડા વધુ જટિલ ઉદાહરણ માટે મહાવરો કરીશું