If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કિર્ચોફનો જંકશન નિયમનું પુનરાવર્તન

કિર્ચોફના જંક્શન નિયમ સાથે સંબંધિત મુખ્ય શબ્દ અને કૌશલ્યનું પુનરાવર્તન કરીએ.

મુખ્ય શબ્દ

જંક્શન

પરિપથમાં ત્રણ કે તેથી વધુ પથનું છેદબિંદુ. સામાન્ય રીતે પરિપથની આકૃતિમાં ટપકાં વડે દર્શાવવામાં આવે છે. નોડ પણ કહેવામાં આવે છે.
આકૃતિ 1. બે જંક્શનને ટપકાંઓ વડે બતાવ્યા છે અને વિદ્યુતપ્રવાહ પરિપથને હાઈલાઈટ કર્યો છે.

બ્રાન્ચ

બે જંક્શનને જોડતો પથ.
આકૃતિ 2. પરિપથમાં બે બ્રાન્ચ, દરેકને જુદા રંગ વડે હાઈલાઈટ કરવામાં આવી છે.

કિર્ચોફનો જંકશન નિયમ

કિર્ચોફનો જંક્શન નિયમ કહે છે કે જંક્શનમાં દાખલ થતો કુલ વિદ્યુતપ્રવાહ જંક્શનમાંથી બહાર નીકળતા કુલ વિદ્યુતપ્રવાહને સમાન હોય છે. આ વીજભારના સંરક્ષણનું વિધાન છે. તેને કેટલીક વાર કિર્ચોફનો પ્રથમ નિયમ, કિર્ચોફનો વિદ્યુતપ્રવાહ નિયમ, જંક્શન નિયમ, અથવા નોડનો નિયમ પણ કહેવામાં આવે છે. ગાણિતિક રીતે, આપણે તેને આ મુજબ લખી શકીએ:
Iઅંદર=Iબહાર
જંક્શન વિદ્યુતપ્રવાહનો સંગ્રહ કરી શકે નહિ, અને વિદ્યુતપ્રવાહ પાતળી હવામાં ગાયબ થઈ શકે નહિ કારણે વીજભારનું સંરક્ષણ થાય છે. તેથી, પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહનો કુલ જથ્થો અચળ રહેવો જોઈએ.
આકૃતિ 3: કિર્ચોફનો જંકશન નિયમ કહે છે કે નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ, i1 અને i2, નોડમાંથી બહાર નીકળતા વિદ્યુતપ્રવાહ, i3 અને i4 ને સમાન હોવો જોઈએ.
આકૃતિ 3 ના કુલ વિદ્યુતપ્રવાહ માટે, આપણે નીચે મુજબ નોડમાં દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુતપ્રવાહ વચ્ચેનો સંબંધ લખી શકીએ:
Iઅંદર=Iબહારi1+i2=i3+i4
ઉદાહરણ તરીકે, આકૃતિ 4 માં, નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ બરાબર નોડમાંથી બહાર નીકળતો વિદ્યુતપ્રવાહ.
આકૃતિ 4: નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ બરાબર નોડમાંથી બહાર નીકળતો વિદ્યુતપ્રવાહ.
નોડમાં દાખલ થતો વિદ્યુતપ્રવાહ 3A છે. ત્યાં નોડમાંથી બે બ્રાન્ચ નીકળે છે. અવરોધ R2 આગળ વિદ્યુતપ્રવાહ 2A છે અને અવરોધ R3 આગળ વિદ્યુતપ્રવાહ 1A છે, તેથી આપણે લખી શકીએ કે:
iઅંદર=iબહાર3A=1A+2A3A=3Aહા!

વધુ શીખો

કિર્ચોફના જંક્શન નિયમ તરફ તમારું કૌશલ્ય અને સમજ ચકાસવા માટે, કિર્ચોફના જંક્શન નિયમનો મહાવરો ચકાસો.